મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

સંબંધ મેનેજમેન્‍ટના બ્રાન્‍ડ એમ્‍બેસેડર એટલે કિરીટકાકા

સંબંધોમાં તડા પડતા અટકાવે છે ‘અકિલા': કિરીટભાઇની નિઃસ્‍વાર્થ સેવા કાબીલેદાદ

રાજકોટ :  અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટના લાઇફ મંત્ર કાર્યક્રમમાં સંબંધ વિષય પર પ્રસિધ્‍ધ હાસ્‍યકાર સાંઇરામ દવેનું વકતવ્‍ય યોજાયું હતું. શ્રી દવેએ જણાવ્‍યું હતું કે, સંબંધ મેનેજમેન્‍ટના બ્રાન્‍ડ એમ્‍બેસેડર કિરીટકાકા છે. ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ અસંખ્‍ય સંબંધો તૂટતા અટકાવ્‍યા છે.નિઃસ્‍વાર્થ ભાવથી થતી આ સેવા સલામને યોગ્‍ય છે. કિરીટભાઇ જેવા વડીલો સમાજમાં સંબંધો સ્‍થાપિત કરવામાં અને જાળવવામાં મોટી ભૂમિકા ભજવે છે.

પ્રવચનના પ્રારંભે  રમૂજ કરતા શ્રી દવેએ જણાવ્‍યું હતું કે, સંબંધોથી ઘણું થાય છે. અહીં પણ હું સંબંધના દાવે જ આવ્‍યો  છું.  શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે ર૦ વર્ષ જૂનો સંબંધ છે.

 

 

(2:18 pm IST)