મુખ્ય સમાચાર
News of Tuesday, 11th June 2019

સ્‍વ. અ. સૌ. ભૂમિકાબેન ચાવડાને શ્રદ્ધાંજલી અર્પણ

લાઇફ મંત્ર કાર્યક્રમના પ્રારંભે સ્‍વ. ભૂમિકાબેન ચાવડાની તસવીર સમક્ષ ગણાત્રા પરિવારની દિકરીઓ ચિ.ધન્‍વી અને ચિ.માહીએ  દીપ પ્રાગટ્‍ય કરીને સ્‍વર્ગસ્‍થને ભાવવાહી અંજલી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રી નિમિષભાઇ ગણાત્રાના પરમમિત્ર અને અકિલા પરિવારના સ્‍નેહી કૌશિકભાઇ ચાવડાના પરિવારને તાજેતરમાં ગમખ્‍વાર અકસ્‍માત નડયો હતો, જેમાં કૌશિકભાઇના જીવનસાથી ભૂમિકાબેનનું દુઃખદ નિધન થયું હતું

(2:16 pm IST)