News of Tuesday, 11th June 2019
મમતાજીએ ‘જય શ્રી રામ' કહી દીધું હોત તો આગ ન લાગત
મન પરનો કાબૂ ગયો તેથી વિવાદ જાગ્યોઃ પૂ.ભાઇશ્રી
રાજકોટઃ સ્વના મેનેજમેન્ટ વિષય પર પ્રવચન આપતા પૂ.રમેશભાઇ ઓઝાએ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું ઉદાહરણ આપ્યું હતુ. પૂ.ભાઇજીએ કહ્યું હતુ કે, થોડો મન પર કાબૂ રખાયો હોત તો વિવાદથી બચી શકાયું હોત.
જય શ્રી રામના નારા લાગ્યા, મમતાજી ખીજાઇ ગયા માતાજીનો મન પરનો કન્ટ્રોલ ગયો આટલા મોટા પદે પહોચેલાનો પણ કાબૂ જઇ શકે છે આ સમયે મમતા દીદીએ જય શ્રી રામના નારા લગાવનારા લોકોને સામે જય શ્રી રામ કહી દીધું હોત તો વિવાદની આગ લાગી ન હોત.
(2:15 pm IST)