જમ્મુ-કાશ્મીરના ક્ષીર ભવાનીના મેળામાં કાશ્મીરી પંડિતો ઉમટયા
કાલે જયેષ્ઠ અષ્ટમીએ હજારો કાશ્મીરો પંડીતો જમ્મુ-કાશ્મીરના તુલમુલા સ્થિત મા રાગન્યાના મંદિરમાં એકત્ર થઈ શ્રધ્ધાથી માતા ક્ષીર ભવાનીને ફૂલ ચડાવી માથુ ટેકવ્યુ હતુ અને કાશ્મીર પરત ફરવા માટે પ્રાર્થના કરી હતી.
જયેષ્ઠા અષ્ટમીના દિવસે તુલમુલા તથા મઝગાંવમાં માતા ક્ષીર ભવાનીનો મેળો ભરાય છે. મેળામાં કાશ્મીરી પંડિતોએ મા ક્ષીર ભવાનીની પૂજા- અર્ચના કરી હતી.
માતા ક્ષીર ભવાની મંદિરે હિન્દુ- મુસ્લીમ પ્રેમ કાયમ રહ્યો છે. કાશ્મીરી પંડિતો માટે મુસ્લીમ ભાઈઓ લંગર દ્વારા ભાવિકોની સેવા કરી રહ્યા છે. ઉપરાંત પૂજામાં ઉપયોગ લેવામાં આવતા દૂધ, ફૂલ સહિતની જરૂરી સામગ્રી ઉપરાંત રહેવાની, જમવા, પાણી, વિજળી, ચિકિત્સા સહિતની પણ વ્યવસ્થા કરી છે. આજના દિવસે જ દેશભરના કાશ્મીરી પંડિતો અહીં પોતાના પરિવારજનો, પાડોશીઓ અને મિત્રોને મળે છે.