યોગી વિરૂદ્ધ વાંધાજનક ટીકા મામલે ધરપકડ કરાયેલા પત્રકારની પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી
એફઆઇઆરમાં આઇપીસીની કલમ પ૦૦ લગાડવામાં આવી છે જે પોલીસ લગાવી શકે નહીં. આ કલમ લગાડવાની સત્તા માત્ર મેજિસ્ટ્રેટ પાસે હોય બે કલમ પર જામીન મળી શકે
લખનઉ તા. ૧૧ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની વિરૂદ્ધ કથિત વાંધાજનક પોસ્ટ મામલે સ્વતંત્ર પત્રકાર પ્રશાંત કનૌજિયાની પત્ની જગીશા કનૌજિયાએ સુપ્રિમ કોર્ટમાં પોતાના પતિની ધરપકડને પડકાર આપતી અરજી દાખલ કી છે. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રશાંતની પત્ની જગીશા કનૌજિયાએ સુપ્રીમ કોર્ટમાં હૈબિયસ કોરપસ અરજી દાખલકરી છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે પ્રશાંતની ધરપકડ ગેરકાયદે છે અને ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે ન તો એફઆઇઆર અંગે કોઇ જાણકારી આપી છે ન તો ધરપકડ મામલે કોઇ ગાઇડલાઇનનું પાલન કર્યું છે. તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોઇ મેજિસ્ટ્રેટની પાસે પણ રજુ કરાયા નહોતા. આ ઉપરાંત એ બાબતે પણ દલીલ કરવામાં આવી છે. કે એફઆઇઆરમાં આઇપીસીની કલમ પ૦૦ લગાડવામાં આવી છે જે પોલીસ લગાવી શકે નહીં. આ કલમ લગાડવાની સત્તા માત્ર મેજિસ્ટ્રેટ પાસે હોય છે. બે કલમ પર જામીન મળી શકે છે.