મુખ્ય સમાચાર
News of Monday, 11th June 2018

પતિ, પત્નિના ચારિત્ર્ય પર સવાલ ક્રૂરતા : કોર્ટ

પુણેની વ્યક્તિની અરજી પર સુનાવણી

નવીદિલ્હી,તા.૧૧ : હવે પોતાના પતિ અથવા પત્નિ પર નિરાધાર આરોપ લગાવવાની બાબત અથવા તેમના ચારિત્ર્ય પર કોઇપણ પ્રકારના પુરાવા વગર આંગણી ઉઠાવવાની બાબત મુશ્કેલીમાં મુકી શકે છે. પુણેની એક સોફ્ટવેયર એન્જિનિયરની અરજી પર સુનાવણી ચલાવતી વેળા કોર્ટે કહ્યું હતું કે, પતિ પત્નિના ચારિત્ર્ય પર પ્રશ્નો ઉઠાવવા અથવા તો નિરાધાર આરોપ લગાવવાની બાબત માનસિક ક્રૂરતા સમાન છે. સુનાવણી કરતી વેળા કોર્ટે તેમને તલાકની મંજુરી આપી દીધી હતી. કારણ કે, તેમની પત્નિએ પોતાના પતિ પર મુકવામાં આવેલા આરોપો સાબિત કરી શકી ન હતી. મહિલાએ આરોપ લગાવતા પહેલા પુરવાર કરવા અંગે કોઇ વિચારણા કરી ન હતી. ચુકાદાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

(9:32 pm IST)