News of Friday, 11th May 2018
હવે નેસ્લે ઇન્ડિયા નાસ્તામાં પીરસાતી મોટા અનાજના ઉત્પાદનો લોન્ચ કરશે
નવી દિલ્હી:નેસ્લે ઈન્ડિયા આ વર્ષે નાસ્તામાં પિરસવામાં આવતા મોટા અનાજમાંથી બનેલ ઉત્પાદનો લોન્ચ કરશે તેવી માહિતી કંપનીએ આપી છે. નેસ્લેના આ નિર્ણયથી પોષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવવાની સ્પર્ધા વધશે.
નેસ્લે ઈન્ડિયાએ જણાવ્યુ છે કે આ વર્ષે ભારતમાં પોતાના વર્તમાન પોર્ટફોલિયોમાં સેરેલ્સ પાર્ટનર્સ વર્લ્ડવાઈટ દ્વારા નેસ્લે બ્રેકફાસ્ટ સેરેલ્સને જોડશે. સીપીએલ નેસ્લે એસ એ સ્વિટઝરલેન્ડ અને જનરલ મિલ્સ ઈંક, અમેરિકાનુ સંયુક્ત સાહસ છે, જો કે જે પ્રોડકટ બનાવશે અને તેનુ વેચાણ કરશે.
કંપનીએ માહિતિ આપતા જણાવ્યુ છે કે નેસ્લે ઈન્ડિયાના નિર્દેશક મંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
(12:00 am IST)