News of Thursday, 11th April 2019
આઇઆઇટી દિલ્હીથી ૪૭ વર્ષ જુનો કેસ જીત્યા સ્વામીઃ મળશે રૂ. ૪૦ લાખનું બાકી રહેતું વેતન
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આઇઆઇટી દિલ્હી વિરૂદ્ધ ૪૭ વર્ષ જુનો કેસ જીત્યા છે. અને આઇઆઇટી દિલ્હીને એમને વાર્ષિક ૮ ટકા વ્યાજ સાથે ૧૯૭ર-૧૯૯૧ સુધીનું બાકી રહેતું વેતન આપવું પડશે. એમના વકીલના કહેવા મુજબ આ વેતન રૂ. ૪૦ થી રૂ. ૪પ લાખ છે. સંસ્થાનમા પ્રોફેસર રહેલા સ્વામીને ૧૯૭ર મા રુખસદ આપવામા આવી હતી. જેના વિરૂદ્ધ તે કોર્ટ પહોંચ્યા હતા.
(12:00 am IST)