મુખ્ય સમાચાર
News of Thursday, 11th April 2019

રાહુલ ગાંધી પર સ્મૃતિ ઇરાની દ્વારા ફરીવાર તીવ્ર પ્રહાર

અમેઠીને સિંગાપોર બનાવવાના વચન

અમેઠી, તા. ૧૦ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અમેઠીમાં ઉમેદવારીપત્ર  દાખલ કર્યા બાદ રાજકીય ઘમસાણની સ્થિતિ તીવ્ર બની ગઈ છે.

આજે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા સ્મૃતિએ કહ્યું હતું કે, ઉમેદવારી ભર્યા બાદ હવે રાહુલ અમેઠીને સિંગાપોર બનાવવાની વાત કરશે. રાહુલ ગાંધી હાલના સમયમાં વારંવાર અમેઠીને સિંગાપોર બનાવવાની વાત કરતા રહ્યા છે. અમેઠીમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ રાહુલ ઉપર સ્મૃતિએ પ્રહાર કર્યા હતા.  ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં અમેઠીમાં ઉલ્લેખનીય કામ કર્યું છે. અહીં જે કંઇપણ વિકાસ થયો છે તે ભાજપના કારણે થયો છે. તેમની સરકાર ખેડૂતો અને ગરીબોની સાથે છે. અમેઠીમાં આ વખતે પણ મુખ્ય સ્પર્ધા સ્મૃતિ ઇરાની અને રાહુલ વચ્ચે છે. છેલ્લી ચૂંટણીમાં સ્મૃતિ ઇરાનીની હાર થઇ હતી.

 

(12:00 am IST)