રાજસ્થાનના પ્રભારી પદેથી કુમાર વિશ્વાસની હકાલપટ્ટી
કેજરીવાલ સાથેના મતભેદ કવિને ભારે પડયાઃ 'આપ'માં ડખ્ખો વકરવાના એંધાણ
નવી દિલ્હી તા. ૧૧: આમ આદમી પાર્ટીના સંયોજકમાં પહેલેથી જ સાઇડમાં મુકેલા કુમાર વિશ્વાસને હવે એક વધુ ઝાટકો લાગ્યો છે. પક્ષે તેઓને રાજસ્થાનના પ્રભારી પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. હવે તેઓ પક્ષમાં ફકત સંસ્થાપક સભ્ય જ રહેલા છે તેની જગ્યા દીપક વાજપેયીને રાજસ્થાનના પ્રભારી બનાવામાં આવ્યા છે. દિલ્હીના સી.એમ. અને 'આપ' સંયોજક અરવિંદ કેજરીવાલ સાથેનો મતભેદના કારણે તેઓને થોડાક સમય પહેલા પક્ષ દ્વારા રાજયસભાના ઉમેદવાર પણ બનાવામાં આવ્યા નહોતા. એટલું જ નહીં અનેક જગ્યાએ તેઓને પક્ષ તરફથી સંબોધનની તક પણ અપાઇ નહોતી.
પક્ષ નેતા અને ભૂતપૂર્વ પત્રકાર આશુતોષી પત્રકાર પરીષદ કરીને કુમાર વિશ્વાસને હટાવાનું એલાન કર્યું તેઓએ કહ્યું કે કુમાર વિશ્વાસની પાસે સમયનો અભાવ હોય છે. તેથી તેઓને રાજસ્થાનના પ્રભારી પદેથી હટાવાયા છે.