સર્જરી દરમ્યાન ડોકટર પેટમાં કાતર ભૂલી ગયેલા એ ત્રણ મહિને ખબર પડી
હૈદ્રાબાદ તા.૧૧: બન્યુ એવું કે મહિનાઓ પહેલાં હૈદરાબાદમાં નિઝામ ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિ હોસ્પિટલમાં ૩૩ વર્ષની એક મહિલા પેટના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયેલી. ગેસ્ટ્રોએન્ટરોલોજી ડિપાર્ટમેન્ટના સર્જયને તેનું ઓપરેશન કર્યું અને એ પછી રિકવરી આવી ગયા બાદ મહિલાને ઘરે જવાની છૂટ પણ મળી ગઇ. જો કે ઘરે ગયા પછી તેને પેટમાં થોડું-થોડું દુખ્યા કરતું હતું. તે અવારનવાર હોસ્પિટલમાં ચેકઅપ માટે આવતી અને ડોકટરો તેને સર્જરી પછી આવું તો થાય એમ કહીને દવાઓ આપીને પાછી મોકલતા. ગયા અઠવાડિયે આખરે તેને પેટમાં શું ગરબડ છે એ સમજવા માટે એકસ-રે કાઢવામાં આવ્યો. એમાં ખબર પડી કે તેના પેટમાં આખેઆખી કાતર અંદર રહી ગઇ છે. સૌ ચોંકી ગયા અને તાબડતોડ મહિલાને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવીે સર્જરી કરીને કાતર કાઢી લેવામાં આવી. જો કે આ અક્ષમ્ય બેદરકારીની જાણ અને એની સારવાર છેક ત્રણ મહિના પછી થઇ. આ આખાય મામલામાં કેમ, શું અને કોની બેદરકારીને કારણે આવું બન્યું એ જાણવા અને દોષી ડોકટરોને સજા કરવા બાબતે કમિટીનું ગઠન થયું છે.(૧.૩)