મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

બર્ડ ફ્લૂના પ્રકોપને પગલે દિલ્હીમાં જીવંત પક્ષીઓની આયાત પર પ્રતિબંધ મૂકાયો

દિલ્હી સરકારે 10 દિવસો માટે પૂર્વી દિલ્હીની ગાઝીપુર મુર્ગા મંડીને સંપૂર્ણ બંધ કરી દીધી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં જીવંત પક્ષીઓની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી પક્ષીઓના મોત પછી બર્ડ ફ્લૂ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે આગામી 10 દિવસો માટે પૂર્વી દિલ્હીની ગાઝીપુર મુર્ગા મંડીને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.

 

(11:40 am IST)