રોકેટ લોન્ચથી પોલીસ સ્ટેશન ઉપર હુમલો
ઇમારતને નુકશાનઃ ભારે અફડાતફડી મચી : પંજાબમાં ત્રાસવાદી હુમલાનો કારસો
ચંડીગઢ, તા.૧૦: પંજાબના તરનતારનમાં એક પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ હુમલામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પરંતુ પોલીસ સ્ટેશનની ઇમારતને નુકસાન થયું છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી. પરંતુ પોલીસ સક્રિય બની છે. વાસ્તવમાં આ હુમલો પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે એક વાગ્યે પોલીસ સ્ટેશન બિલ્ડિંગ પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો.
તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશનને મોડી રાત્રે ૧ વાગ્યે નિશાન બનાવવામાં આવ્યું છે. આ પહેલા મોહાલીના સેક્ટર-૭૭માં આરપીજી હુમલો થયો હતો. હવે આ એક મોટો હુમલો છે. ય્ભ્ઞ્ એ ખૂબ જ શક્તિશાળી હુમલો છે. હુમલામાં તેનો ઉપયોગ જોખમની નિશાની માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તે પહેલા બીજે કયાંક પડ્યો હતો, પછીથી વાળીને પોલીસ સ્ટેશન આવ્યો હતો. ઉદાહરણ તરીકે, રોકેટ લોન્ચરે પહેલા ગેટ અથવા થાંભલાને નિશાન બનાવ્યું, તે પછી તે અંદર આવ્યું.