News of Tuesday, 10th December 2019
હંમેશા માટે અલગ નથી થઇ શિવસેના-ભાજપ :ભવિષ્યમાં ફરી સાથે આવી શકે: મનોહર જોશી
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું મોટુ નિવેદન: નવા સમીકરણોના સંકેત
મુંબઈ : શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીએ રાજ્યમાં નવા સમીકરણ બનવાના સંકેત આપ્યા છે. જોશીએ કહ્યું કે તેઓની પાર્ટી અને બીજેપી નજીકના ભવિષ્યમાં ફરી સાથે આવી શકે છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મુદ્દા પર યોગ્ય સમયે નિર્ણય લેશે તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે નાગરિક સંશોધન બિલ પર શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ગતિરોધ જોવા મળ્યો હતો. જોકે, બાદમાં શિવસેનાએ એમ કહેતા પલટી મારી હતી કે, તમામ વસ્તુઓ સ્પષ્ટ થાય ત્યાં સુધી નાગરિકતા બિલનું સમર્થન નહીં કરે.
(11:09 pm IST)