News of Tuesday, 10th December 2019
ગઠબંધન સરકાર આવશે તો ખેડૂતોના રૂ. ર લાખ સુધીના કર્જ માફ થશેઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારના ઝારખંડના બડકા ગામમાં ચૂંટણી સભામાં કહ્યું જો રાજય સભામાં કોંગ્રેસ- જેએમએમ, આરજેડી ગઠબંધનની સરકાર બનશે તો ખેડુતોનું રૂ. ર લાખ સુધીનુ કરજ માફ કરવામાં આવશે.
એમણે કહ્યું બીજેપીએ આદિવાસીઓ સાથે ધોખો કર્યો એમની જમીન ઉદ્યોગપતિઓને વેંચી નાંખી. ગઠબંધન સરકાર બનતા જ તમારી જમીન પાછી આવશે અને યોગ્ય વળતર આપવામાં આવશે.
(12:00 am IST)