મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

કોઇ કાર્ય અશકય નથી, દિલ્લીના ૧૪ લાખ પરિવારોને આ મહિને ઝીરો રૂપીયાનુ વિજળીનુ બીલ આવ્યું: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

 દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટવિટ કર્યુ છે કે દિલ્લીના ૧૪ લાખ પરિવારોને આ મહીને -ઝીરો- રૂપિયાનુ વીજળીનું બીલ આવ્યા પછી હવે દરેક પરિવાર પોતાનો વીજ વપરાશ ર૦૦ યુનિટથી ઓછો કરવાના પ્રયત્ન કરી રહ્યો છે.

        એમણે લખ્યું દિલ્લીની મફત વિજળી સ્કીમ સ્માર્ટ ગવર્નેસની એક મિસાલ બનવા જઇ રહી છે.

        જનતાને મફત વિજળીનો લાભ પણ મળી રહ્યો છે. અને લોકો હવે વીજળી બચાવવાનુ પણ ચાલુ કરી દેશે એમ કેજરીવાલએ જણવ્યુ હતુ.

(9:55 pm IST)