News of Thursday, 10th October 2019
રાહુલ ગાંધીથી સૌએ શિખ લેવી જોઇએઃ અધીર રંજન
નવી દિલ્હી તા. ૧૦ : લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની હાર પછી પક્ષના નેતા રાહુલ ગાંધીના અધ્યક્ષપદ છોડવા ઉપર તેમની આલોચના વચ્ચે પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે, વર્તમાન રાજકારણમાં રાહુલ ગાંધી જેવા કોઇ જ શુરવિર હોય છે જેમણે નૈતિક જવાબદારી સ્વિકારી પોતાનું પદ ત્યાગી દીધું છે અને સૌએ તેમની પાસેથી શિખ લેવી જોઇએ જો તેઓ રહ્યા હોત તો સારૂ હોત, પાછા આવશે તો અમોને સારૂ લાગશે પણ એ તેનો નિર્ણય હતો અમારે તેમનુ સન્માન કરવું જોઇએ.
અન્ય પક્ષોમાં આવુ ઉદાહરણ કયાંય જોવા નહી મળે અને રાહુલ ગાંધીએ આ એક સંદેશ આપ્યો છે જેનો જવાબ નથી.
(1:09 pm IST)