પીએમ મોદીએ કશ્મીરી પરિવારેને આપી દિવાળીની ભેટ પીઓકેમાંથી ભારત આવેલાને મળશે 5,50 લાખ રૂપિયા
વિસ્થાપિત થઈને આવેલ 5300 પરિવારોને મળશે લાભ
નવી દિલ્હી : મોદી સરકારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાંય મોટા નિર્ણયો લીધા છે કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કશ્મિરથી વિસ્થાપિત થઈને ભારતના કેટલાંય રાજ્યોમાં આવેલા 5300 કશ્મીરી પરિવારેને દિવાળીની ભેટ આપી છે. હવે આ પરિવારોને કેન્દ્ર સરકાર તરફથી સાડા પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે જેથી તેઓ કશ્મિરમાં વસી શકે. જેની માગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી.
આ 5300 પરિવારોનું નામ શરૂઆતમાં વિસ્થાપિતોની લિસ્ટમાં શામેલ ન હતુ પરંતુ હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે તેમનું નામ લિસ્ટમાં પણ શામેલ કરવામાં આવશે અને આર્થિક સહાયતા પણ આપવામાં આવશે.
આ 5300 પરિવારોમાં ત્રણ પ્રકારના પરિવારો શામેલ છે તેમાં કેટલાંક પરિવારે 1947મા ભાગલા સમયે આવ્યા, કેટલાંક કશ્મિરના વિલય પછી અને કેટલાંક લોકો પીઓકેમાંથી ભારતમાં આવ્યા. આ પરિવારો અલગ રાજ્યોમાં વસી ગયા હતા.
2016મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PoKથી આવેલા આ લોકો માટે 5.5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે આ 5300 પરિવારોને લાભ મળ્યો ન હતો. જે અત્યારે કેન્દ્રીય કેબિનેટે મંજુરી આપી દીધી છે. સરકાર તરફથી આ રકમ પરિવારોને પોતાના ઘરે વસાવવા માટે પરમિશન આપવામાં આવી રહી છે.