મુખ્ય સમાચાર
News of Wednesday, 9th October 2019

પીએમ મોદીને પત્ર લખનારા 49 હસ્તીઓને મોટી રાહત: બિહાર પોલીસે કેસ રદ કરવા લીધો નિર્ણય

કેસ રદ કરવાથી આ 49 સેલિબ્રિટીઝ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે નહીં.

 

પટના : પીએમ મોદીને પત્ર લખનારી 49 હસ્તિઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. બિહાર પોલીસે રામચંદ્ર ગુહા સહિતની 49 હસ્તિઓની સામેનો કેસ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ મુઝફ્ફરપુર એએસપી મનોજ કુમાર દ્વારા આપવામાં આવ્યો છે.

   પીએમ મોદીની 49 હસ્તિઓએ પત્ર લખીને મોબ લિંચિગને લઈને દેશમાં જે પરિસ્થિતિ છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીને બાબતે ઓપન લેટર લખવામાં આવ્યો હતો. જેમાં 49 સેલિબ્રિટીઝની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

   પત્ર લખનારા લોકો પર જાણી જોઈને દેશની ખરાબ છબિ ઊભી કરવા અને પીએમની ઉપલબ્ધિઓને ઓછી દેખાડવાનો પ્રયાસ કરવાના આરોપમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

 પત્ર લખનારાઓમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, ફિલ્મ નિર્દેશક મણિરત્નમ, ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ, ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલ, અભિનેતા સૌમિત્ર ચેટર્જી અને અભિનેત્રી અર્પણા સેન અને ગાયિકા સુધા મુદ્ગલ પણ સામેલ છે. આમ કેસ રદ કરવાથી 49 સેલિબ્રિટીઝ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે નહીં.

(12:59 am IST)