મુખ્ય સમાચાર
News of Wednesday, 10th August 2022

નુપુર શર્માને મોટી રાહત મળી: સુપ્રીમ કોર્ટે દેશભરમાં નોંધાયેલા તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો

 ભારતીય જનતા પક્ષની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ સાહેબ  વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેના કારણે દેશમાં ઘણા દિવસોથી રાજકારણ ગરમાયું હતું.

 

વાંધાજનક ટિપ્પણીના મામલામાં સુપ્રીમ કોર્ટે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલી નુપુર શર્માને મોટી રાહત આપી છે અને દેશના વિવિધ રાજ્યોમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆર દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે.  આ સાથે સુપ્રીમ કોર્ટે તેમને એફ આઇ આર  રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપી છે.

(5:18 pm IST)