મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

સાતમું પગાર પંચ : કેન્દ્રીય કર્મીઓને ટૂંકમાં મોટી ભેંટ

વડાપ્રધાન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી શકેઃ વડાપ્રધાન તરફથી મંજુરી બાદ ૫૦ લાખ કર્મચારીઓને લાભ થઇ શકે : માંગણીઓને લઇને ઉત્સુકતા વધી

નવીદિલ્હી,તા.૧૦: કેન્દ્ર સરકારના ૫૦ લાખથી વધુ કર્મચારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી ભેંટ આપવા જઈ રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંકમાં જ મોટી જાહેરાત સાતમાં પગાર પંચને લઇને કરવામાં આવી શકે છે. પગારપંચની ભલામણના અમલીકરણની રાહ જોઇ રહેલા કર્મચારીઓને તહેવારની સિઝનમાં મોટી રાહત મળી શકે છે. એલપીસી હેઠળ વિદેશમાં પ્રવાસના વિકલ્પની સુવિધા પણ આપવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી હેઠળ વિદેશ જવાનો વિકલ્પ આપશે. લાંબા વિચાર બાદ આ પ્રસ્તાવને સરકારે સ્વીકાર લીધો છે. સરકારના આ પગલાંને આગામી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય કર્મચારીઓને મનાવવાની કોશિશ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્રીય કર્મચારીઓ ક્યા ક્યા દેશનો પ્રવાસ કરી શકે તે સરકાર નક્કી કરશે. શરૃઆતમાં દસ દેશોમાં ફરવાની મંજુરી મળી શકે છે. સુવિધા ક્યારથી અને ક્યા દેશો માટે મળશે તે પીએમ મોદીના નિર્દેશ બાદ નક્કી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ વિદેશ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગએ જોઈન્ટ રીતે આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. વિદેશ મંત્રાલય મુજબ આ સુવિધા મળવાથી કર્મચારીઓ જે દેશમાં પરિવાર સાથે મુસાફરી કરશે, તેમની સાથે ભારતના સંબંધ મજબુત બનશે. અન્ને જણાવવાનું કે એલટીસીમાં ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફરવા માટે રજાઓ અને વ્યાજરહીત એડવાન્સ આપવાની જોગવાઈ છે. માત્ર દેશમાં ફરવા માટે જ રજાઓ મળતી હતી. કેન્દ્રીય કર્મચારીઓને હવે એલટીસી હેઠળ દૈનિક ભથ્થુ નહીં મળે. એલટીસી હેઠળ કર્મચારીઓને ટિકિટના રૃપિયા પાછા મળે છે. ડીઓપીટીએ આ અંગે એકવાર ફરીથી કહ્યું છે કે, સ્થાનિક મુસાફરી પર થયેલો ખર્ચ અને કોઈ ઇમરજન્સી ખર્ચને એલટીસી હેઠળ સ્વીકારવામાં નહીં આવે.

(9:46 pm IST)