મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં બે દિ' ધારાસભાનું ચોમાસુ સત્ર

રાજકોટ, તા. ૧૦ :. વિધાનસભાનું ચોમાસુ સત્ર તા. ૧૭ થી ૨૫ સપ્ટેમ્બર વચ્ચે મળનાર છે. હવે પછી વિધિવત કાર્યક્રમ જાહેર થશે. બંધારણીય જોગવાઈ મુજબ વધુમાં વધુ ૬ મહિનામાં સત્ર બોલાવવું પડે છે તે મુજબ માર્ચના અંતમાં બજેટ સત્ર પુરૂ થતા સપ્ટેમ્બર અંત સુધીમાં બોલાવવા પાત્ર થાય છે. સરકાર માત્ર બે ત્રણ દિવસનું જ સત્ર બોલાવવા માંગે છે. કાયદો વ્યવસ્થા, મગફળીકાંડ, પાણી જેવા મુદ્દા વિપક્ષ ગજાવે તેવી સંભાવના છે.(૨-૨૩)

 

(3:49 pm IST)