મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

કરૂણાનિધિ અને જયલલિતા બંન્નેની વિદાય બાદ ૨૦૧૯માં તામિલનાડુની ચુંટણી કેવો રંગ પકડશે? ભાજપની બાજનજર મંડરાઇ

તામિલનાડુના રાજકારણમાં હમેશ કરૂણાનિધિ (ડીએમકે) અને જયલલીતા (એઆઇએડીએમકે)ની દાયકાઓથી જમાવટ રહી છે. આગામી ૨૦૧૯ની ચુંટણી સમયે આ બંને ધુરંધર નેતાઓની ગેર-હાજરીમાં મોદી-શાહની જોડી અચુક લાભ ઉઠાવી રાજસ્થાન -મ.પ્ર.- ગુજરાતમાં સંભવિત થનાર નુકશાન ભરપાઇ કરવા કોઇ કસર નહિ છોડે તેમ રાજકીય પંડીતો માને છે જાણીતા ડેટા સાયન્ટીસ્ટ જી.પ્રધાન પણ આગામી ચુંટણી  નિહાળવી ભારે રસપ્રદ બનશે તેવું ટવીટ્માં લખે છે.

 

(11:26 am IST)