મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

EWS માટે ૧૦% અનામત અંગે થયો નવો સુધારા ઠરાવ

મહેસૂલી અને પંચાયતના અધિકારીઓ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જાન્યુઆરી ૨૦૧૯માં જાહેર : કરેલી ૭૮ બિન અનામત જ્ઞાતિઓની યાદીમાં તમારી જ્ઞાતિ ન હોય તો EWSનું સર્ટીફિકેટ આપતા ન હતા

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્ર સરકારે આર્થિક નબળા વર્ગો EWS (Economically Backward Class) માટે ૧૦ ટકા અનામત દાખલ કર્યા પછી બિન અનામત વર્ગોને જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. મહેસૂલી અને પંચાયતના અધિકારીઓ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જાન્યુઆરી ૨૦૧૯માં જાહેર કરેલી ૭૮ બિન અનામત જ્ઞાતિઓની યાદીમાં તમારી જ્ઞાતિ ન હોય તો EWSનું સર્ટિફિકેટ આપતા ન હતા. જેના કારણે વિભાગે બુધવારે નવો સુધારા ઠરાવ દ્વારા જે જ્ઞાતિઓ SC, ST, SCBCમાં નથી અને તેઓ આ લાભ લેવા પાત્ર છે તેવી જ્ઞાતિઓને EWS સર્ટિ આપવા આદેશો કર્યા છે.

આ ઉપરાંત બિન અનામત વર્ગો માટે જાહેર ૭૮ જ્ઞાતિઓની યાદી આખરી નથી. આ યાદી સરળતા માટે બનાવવામાં આવી છે તેવું પણ સુધારા ઠરાવમાં જણાવી જનસેવા કેન્દ્રોથી સક્ષમ અધિકારીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં જ EWS સર્ટિફિકેટ કાઢી આપવા આદેશ કર્યો છે.

ગુજરાત સરકારે SCBCમાં ૧૪૬ જ્ઞાતિઓને સમાવી છે. ભારત સરકારની ઓબીસીની યાદીમાં ૧૦૬ જ્ઞાતિઓ પૈકી ગુજરાતની કેટલીક SCBC જ્ઞાતિઓ નથી. આથી, રાજયમાં SCBC હોય તેવી જ્ઞાતિઓને કેન્દ્રની ભરતી, એડમિશન માટે ૧૦ ટકા અનામતના લાભ લેવા માટે ચ્ષ્લ્ પ્રમાણપત્ર આપવા પણ આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં UPSC,રાજયમાં SCBCની તૈયારી કરતા યુવકોએ ગુજરાતમાં ૧૦ ટકા અનામત માટે EWS સર્ટિફિકેટ નથી મળતું. જૂન-જૂલાઈથી મેડિકલ સહિતના નવા એડમિશન સમયે વહીવટીતંત્રને ઓનલાઈન સિસ્ટમમાં ઉપલબ્ધ નથી તેવી જ્ઞાતિઓને પણ હાથેથી (મેન્યુઅલી) પ્રમાણપત્રો આપવા ઠરાવને સુધારવામા આવ્યો છે.

કોને મળી શકે છે EWS સર્ટી

૧. જે લોકો EWS કેટેગરી (ગરીબ)માં આવે છે.

૨. જે સવર્ણ પરિવારોની વાર્ષિક આવક ૮ લાખ રૂપિયાથી ઓછી છે.

૩. જે સવર્ણ ખેડૂતોની પાસે ૫ હેકટરથી ઓછી જમીન છે.

૪. ૧૦૦ સ્કવેર ફુટથી ઓછી જમીનવાળું ઘર હોય.

૫. શહેર(મ્યુનિસિપાલિટી)માં ૧૦૯ યાર્ડથી નાનો રેસિડેન્ટલ પ્લોટ હોય

૬. ગામ કે નાના શહેર (મ્યુનિસિપાલિટી એરિયા)માં ૨૦૯ યાર્ડથી નાનો પ્લોટ હોય.

(11:57 am IST)