મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

ચૂંટણી હવે અંતિમ પડાવ તરફ

છઠ્ઠા તબક્કાની પ૯ બેઠકો માટે ૧ર મીએ મતદાનઃ આજે સાંજથી જાહેર પ્રચાર બંધ

અખિલેશ-દિગ્વિજયસિંહ-સિંધિયા-રાધા મોહન-સાધ્વી પ્રજ્ઞા-ગૌતમ ગંભીર વગેરે મેદાનમાં

નવી દિલ્હી તા. ૧૦ :.. આજે છઠ્ઠા તબક્કાનો ચૂંટણી પ્રચાર સાંજે પ વાગ્યે બંધ થઇ જશે. ૧ર મીએ પ૯ બેઠકો માટે મતદાન થવાનું છે.

આ છઠ્ઠા તબકકાની ચૂંટણીમાં અખિલેશ યાદવ, દિગ્વીજયસિંહ, જયોતિરાદિત્ય સિંધિયા, ગૌતમ ગંભીર, સાધ્વી પ્રજ્ઞા, રાધા મોહન સિંહ વગેરેનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

બિહારની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, યુપીની ૧૪, મ.પ્રદેશની ૮, પ.બંગાળની ૮ તથા દિલ્હીની ૭ બેઠકો માટે રવિવારે મતદાન થશે. આજે પ્રચારના અંતિમ દિવસે બધા પક્ષોએ પોતાની પુરી તાકાત કામે લગાડી છે.

(11:49 am IST)