જમ્મુ-કાશ્મીરના બારામુલામાં લશ્કર-અે-તોઇબાના ૧૦ આતંકવાદીઓ ઝડપાયાઃ મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળોના હાથમાં મોટી સફળતા હાથ લાગી છે. મળતી જાણકારી પ્રમાણે અહીંયા સુરક્ષાદળોએ લગભગ દસ આતંકીઓને જીવતા પકડ્યા છે. જણાવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પાસેથી વધારે પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. ઝડપાયેલા બધા આતંકીઓના સંબંધ લશ્કર એ તૌયબા સાથે જોડાયેલા છે.
નોર્થ કાશ્મીરના ડીઆઈજીએ કહ્યું કે લશ્કર એ તૌયબાના ચાર આતંકી અને તેમના માટે કામ કરી રહ્યાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં બારૂદ મળી આવ્યો હતો.
તેઓ આ વર્ષ માર્ચમાં લશ્કરના પાંચ અન્ય સભ્યો સાથે સુરક્ષાદળોને નિશાનો બનાવવા માટે હથિયારો સાથે ભારતમાં ઘુસ્યા હતાં પરંતુ તેઓ હુમલો કરે તે પહેલા જ તેમની સુરક્ષાદળો સાથે અથડામણ થઇ ગઇ હતી. જેમાં તેમની ટીમના કેટલાક સભ્યો ઠાર થયા હતાં. અમે લોકો તે સ્થળથી ફરાર થવામાં સફળ રહ્યાં હતાં. સુરક્ષાદળોએ છ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના કુરવાડા જિલ્લાના જુગિયાલ ગામથી જબીઉલ્લાની ધરપકડ કરવામાં આવ્યાં હતાં. '