મુખ્ય સમાચાર
News of Friday, 10th April 2020

સિંગાપોરમાં 250 જેટલા ભારતીયોનો કોરોના વાઇરસ પોઝિટિવ : 8 એપ્રિલના રોજ મૃત્યુ પામેલ ભારતીય મૂળના 32 વર્ષીય યુવાનનું મૃત્યુ કોરોના વાઇરસના કારણે નહીં પણ હાર્ટફેલથી થયું હતું : ભારતીય હાઇ કમિશ્નરે સમાચાર સૂત્રોને આપેલી માહિતી

સિંગાપોર : સિંગાપોરમાં 250 જેટલા ભારતીયોનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.તેવું સિંગાપોર ખાતેના ભારતના હાઈકમીશ્નર શ્રી જાવેદ અખ્તરે જણાવ્યું છે.જેમના અરધા ઉપરાંત ભારતીયો ફોરેન વર્કર્સ  માટેની ડોરમેટરીમાં એકબીજાની નજીકમાં હતા જે પૈકીના મોટા ભગનાની તબિયત સ્થિર છે અથવા તો સુધારા ઉપર હોવાનું જણાયું છે.તેવું તેમણે સમાચાર સૂત્રોને જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે 8 એપ્રિલના રોજ મૃત્યુ પામેલ ભારતીય મૂળના યુવાનનું મૃત્યુ કોરોના વાઇરસના કારણે નહીં પણ હાર્ટફેલથી થયું હતું.

(6:58 pm IST)