મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

મુંબઈની 5 મહિનાની બાળકીને 22 કરોડના ઇન્જેક્શનથી મળશે નવજીવન: પીએમ મોદીએ માફ કર્યો 6 કરોડ ટેક્સ

દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પર આ બાળકીના નવજીવન માટે વડાપ્રધાન મોદીએ ટેક્સ માફ કરી દીધો

મુંબઈની પાંચ મહિનાની બાળકી કે જેનું નામ તીરા છે, હવે તે જીંદગી સામેનો જંગ જીતી જશે તેવી આશા તેના પરિવારજનોને થઈ રહી છે.તીરાને Spinal Muscular Atrophy (SMA) નામની બીમારી છે. જેના કારણે પ્રોટીન બનાવનારા જીન તેના શરીરમાં જોવા મળતા નથી. જેના કારણે માંસપેશીઓ અને નસો ખતમ થવા લાગે છે.

તેનો ઈલાજ અમેરિકાથી આવનારા Zolgensuma ઇન્જેક્શન દ્વારા જ શક્ય છે. જેની કિંમત 16 કરોડ રૂપિયાની અને તેના પર 6 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકવવો પડે તેમ હતો, પરંતુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પર આ બાળકીના નવજીવન માટે વડાપ્રધાન મોદીએ ટેક્સ માફ કરી દીધો છે. ઇન્જેક્શન ન લાગે તો આ બાળકી વધીને 13 મહિના જીવિત રહી શકે તેમ હતી.તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઈના SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ સમયે તેના ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી ત્યારબાદ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી

  આ ઇંજેક્શન એટલું મોંઘું છે કે સામાન્ય માણસ તેના માટે ખરીદી શકે તે શક્ય નથી. આ તીરામાટે ના પરિવારજનો પણ ચિંતિત હતા.તેના પિતા મિહિર આઇટી કંપનીમાં જોબ કરે છે અને માતા પ્રિયંકા freelance illustrator ( કોઈ બાબતને ચિત્ર દ્વારા સમજનાર) તરીકે સેવા આપે છે. એવામાં તેમને સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને તેના પર ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું હતું. ત્યાં બાળકીને સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયા એકત્ર થઇ ચુક્યા છે. હવે આશા છે કે ટૂંક સમયમાં જ આ ઇન્જેક્શનની ખરીદી કરી શકાશે.

SMA હોય તો શરીરમાં પ્રોટીન દ્વારા બનનાર જીન હોતું નથી એવા માંસપેશીઓ અને નસો ખતમ થવા લાગે છે. મગજની માંસપેશીઓ કાર્ય કરવાનો બંધ થઈ જાય છે. મગજ દ્વારા તમામ માંસપેશીઓનું સંચાલન થતું હોય છે જેના કારણે તેને શ્વાસ લેવામાં અને ભોજન ત્યાં સુધીમાં મુશ્કેલી થવા લાગે છે. ઘણા પ્રકારના SMAના લક્ષણો હોય છે. જેમાં ટાઈપ 1 સૌથી ગંભીર છે.

બાળકીના પિતા મિહિર જણાવે છે કે તેરા નો જન્મ હોસ્પિટલમાં જ થયો હતો. ઘરે આવી ત્યારે બધું બરાબર હતું, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ બદલાવા લાગી હતી. તેની મમ્મી પાસે સ્તનપાન કરાવતી વખતે તેનો શ્વાસ રૂંધાવા લાગતો હતો. શરીરમાં પાણીની કમી થવા લાગી હતી. એકવાર તો કેટલીક સેકન્ડ માટે તેના શ્વાસ રોકાઈ ગયા હતા. પોલીઓની રસી પીવડાવતી વખતે પણ તેના શ્વાસ રોકાઈ જતા હતા. ડોક્ટરોની સલાહ બાળકીને ન્યુરોલોજીસ્ટને દેખાડવામાં આવી હતી. જ્યાં તેની આ બિમારી વિશેની જાણકારી મળી હતી.

(8:29 pm IST)