મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

હવેથી પેટ્રોલમાં ૧૦% ઈથેનોલ મિશ્રિત મળશે?

શેરડીમાંથી બનતું ઈથેનોલ પેટ્રોલ કરતાં પણ છે સસ્તું

રાજકોટ : આગામી સમયમાં હવે તમામ પેટ્રોલપંપોએ વાહનચાલકોને પેટ્રોલની સાથે ૧૦% ઇથાનોલ મિશ્રિત કરવામાં આવશે. પમ્પ પર વાહનચાલકોને ભાવ પેટ્રોલના જ દર્શાવામાં આવશે પરંતુ પેટ્રોલની સાથે હવે ઇથાનોલ પણ મિશ્ર કરવામાં આવશે. આ પ્રક્રિયા જામનગરમાં ખાનગી કંપનીમાં વર્ષોથી ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી હવે આ રિફાઇનરીનું પેટ્રોલ જામનગર બાદ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ વહેચવામાં આવશે. જેથી હવે વાહનમાં ૯૦% પેટ્રોલ અને ૧૦% ઇથાનોલે પુરવામાં આવશે. પેટ્રોલ સાથે ઇથાનોલ મિકસ કરતા એજીના પર પાણી પડે તો એન્જીનને ડચકા મારવાની શક્યતાઓ વધી શકે છે.

પેટ્રોલથી ચાલતા વાહનોના ઉપયોગ કરનાર દરેક ઉપભોકતાએ પોતાના વાહન ફયુલ ટેન્ક પાણી રહિત રાખવાથી અનિવાર્ય થઇ ગયેલ છે કેમ કે સરકારશ્રી ઓઇલ કંપનીઓને પેટ્રોલમાં ૧૦ ટકા સુધી ઇથેનોલ મિશ્રીત પેટ્રોલ સપ્લાય કરવા નિર્દેશ આપેલ છે.

ગુજરાતના અન્ય જીલ્લાઓ, જેમ કે અમદાવાદ, વડોદરામાં અગાઉથી ૧૦ ટકા ઇથેનોલ મિશ્રીત પેટ્રોલનું વેચાણ શરૂ થઇ ગયેલ. પરંતુ જામનગર જીલ્લામાં જાન્યુઆરી ર૦ર૧થી સાદા પેટ્રોલમાં ૧૦ ટકા સુધી ઇથેનોલ ભેળવી ઓયલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ માલિકોને સપ્લાય કરવામાં આવે છે.

આમ કાર કે ટુ વ્હીલરમાં પેટ્રોલ પૂરાવ્યું એટલે ૯૦ ટકા પેટ્રોલ-૧૦ ટકા ઈથાનોલ પૂરાવ્યું એમ કહી શકાશે!પેટ્રોલથી ચાલતા વાહનધારકોએ તકેદારી રાખવા જેવી બાબત એ છે કે, જો તેમના વાહનની પેટ્રોલ ટેંકમાં ભેજ કે થોડા પ્રમાણમાં પણ પાણી હશે તો ઇથેનોલ મિશ્રીત પેટ્રોલ પુરાવવાથી વાહનની ટેન્કમાં ઉપરની તરફે પેટ્રોલ અને નીચેની તરફે પાણી જેવો પદાર્થ જોવા મળશે.

જયારે પણ ઇથેનોલ,  ભેજવાળી હવા કે પાણી સાથે સંપર્કમાં આવે ત્યારે આવા પ્રકારનું રાસાયણીક રીયેકશન આકાર લ્યે છે અને તેનાથી વાહન ચલાવતા સમયે વાહન આવે ત્યારે આવા પ્રકારનું રાસાયણીક રીયેકશન આકાર લ્યે છે અને તેનાથી વાહન ચલાવતા સમયે વાહન ડચકા ખાય છે અથવા બંધ પડી જાય છે. જયારે ગ્રાહકો સર્વિસ સેન્ટર કે ગેરેજમાં પોતાનું વાહન રીપેરીંગ માટે લઇ જાય છે. ત્યારે આ બાબત માલુમ થાય છે. જામનગર ડીસ્ટ્રીકટ પેટ્રોલ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ ધિમંતભાઇ ઘેલાણીના જણાવ્યા મુજબ જો ગ્રાહકોએ તેમના વાહનની પેટ્રોલ ટેન્ક લાંબા સમયથી સાફ કરાવેલ ન હોય તેવા વાહન ચાલકોએ ટુ વ્હીલર કે ફોર વ્હીલર ફયુલ ટેન્ક તાત્કાલીક ધોરણે સર્વિસ સેન્ટરમાં સાફ કરાવી લેવી તેમજ ભેજ કે પાણી રહે નહી તેવી તકેદારી રાખવી જેનાથી ઇથેનોલ મિશ્રીત પેટ્રોલથી થતી મુશ્કેલીથી દુર રહી શકાય અને વાહન સારી રીતે ચાલી શકે.

કેન્દ્ર સરકારે સૌ પ્રથમ તા.૨-૧-૨૦૧૩ના ગેઝેટ જારી કરીને તા.૩૦-૬-૨૦૧૩ સુધીમાં તમામ પેટ્રોલ પંપોમાં ૫ ટકા ઈથાનોલનું મિશ્રણ થાય તે માટે નિર્ણય લીધો હતો. બાદમાં તા.૨-૨-૨૦૧૮ના આ પ્રમાણ વધારીને ૧૦ ટકા સુધી કરવા નિર્ણય લેવાયો હતો. આ અન્વયે પેટ્રોલમાં ક્રમશઃ ઈથાનોલ ભેળવવાનું  પ્રમાણ વધીને હાલ ૧૦ ટકાએ પહોંચી ગયું છે. એવી પણ ચર્ચા છે કે ઈ.સ.૨૦૨૩ સુધીમાં આ પ્રમાણ હજુ વધીને ૨૦ ટકા કરાશે.  ઈથાનોલના ભાવ પેટ્રોલ કરતા આશરે રૂ।.૨૦ ઓછા હોય છે. પરંતુ, તે દેશમાં જ પકવાતી શેરડીને -ોસેસ કરીને કંપનીઓમાં બનતું હોય છે તેથી દેશનું હૂંડિયામણ બચતું હોય છે. એવો દાવો કરાયો છે કે ઈથાનોલના વપરાશથી ઉપરોકત ધ્યાન રખાય તો એન્જીનને વાંધો આવતો નથી.

(3:09 pm IST)