મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

મધ્યપ્રદેશમાં દલિતોની જાન રોકી વરરાજા અને કુટુંબજનોની પીટાઇ કરી : ૮ની ધરપકડ

ભોપાલ,તા. ૧૦: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક દલિત પરિવારના વરરાજાની જાન રોકવા અંગે આઠની ધરપકડ થઇ છે. આરોપીઓએ વરરાજા અને તેના કુટુંબીજનોની પીટાઇ કર્યાનું પોલીસે જણાવ્યું છે.

મંદસૌરના પોલીસ વડા શ્રી સિધ્ધાર્થ ચૌધરીએ કહ્યુ કે બહાદુરસિંહ, કૃપાલસિંહ,ઇશ્વરસિંહ, યુવરાજસિંહ સહિત ૮ની ધરપકડ થઇ છે. તેમના વિરૂધ્ધ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ૮ અત્યાચાર નિવારણ અધિનિયમની જોગવાય હેઠળ ગુન્હો નોંધ્યો છે.પોલીસ વડાએ કહ્યુ ડો. ગુરડિયા ગામના મુકેશ મેઘવાળની ફરિયાદ મુજબ તેના ભત્રીજા દીપક મેઘવાળની જાનને આરોપીઓએ રોકી અને ગાળો આપેલ તથા જીપમાંથી દીપકને ઉતારી માર મારેલ. દીપકના કુટુંબી વચ્ચે પડતા તેમને પણ માર મારેલ. તમામ આરોપીને પોલીસ પકડી લીધેલ છે.

(11:33 am IST)