મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને બબીતા વચ્ચે ઝઘડો

બબિતાએ ગુસ્સે થઇને જેઠાલાલને ઘરેથી કાઢી મુક્યા: જેઠાલાલનો સોરી કહેવા અપાયેલ ફૂલોનો આ બુકે કચરામાં નાખી દીધો

મુંબઈ :તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકો માટે સૌથી લોકપ્રિય શો થઈ ગયો છે. આ શોમાં સૌથી વધારે કોમેડી જેઠાલાલ,બબીતા અને અય્યરની લોકોને ગમે છે. શો માં જેઠાલાલા બબીતા જી સાથે મળવાના બહાના શોધતા રહે છે. ત્યારે આગામી એપીસોડમાં જેઠાલાલ અને બબીતા વચ્ચે ઝઘડો જોવા મળશે

અય્યરને તેના ઓફિસ માટે ટેબ્લેટ જોતા હોય છે. જેથી તે બબીતા જી સાથે જેઠાલાલના ઘરે પહોંચે છે અને તમામ માહિતી ડેઠાલાલને બતાવે છે. જેઠાલાલ પહેલા તો બબીતાજીને જોઈને ઉત્સાહમાં આવી જાય છે અને ટેબ્લેટ આપવાની હા પાડી દે છે. જો કે, જયાથી તે પોતાની દુકાનનો માલ ખરીદે છે ત્યા તેને પહેલાના પૈસા બાકી હોવાથી માલ આપવાની ના પાડી દેવામાં આવે છે. જેથી જેઠાલાલા ગુસ્સે ભરાય છે. જેઠાલાલ કોઇ કારણસર સમય પર ટેબલેટ લાવી શકતા નથી જેના કારણે બબિતા જેઠા પર ગુસ્સે થઇ જાય છે અને જેઠાલાલને ઘરેથી કાઢી મુકે છે. બબિતા માટે ટેબ્લેટનું સમય પર મળવું જરૂરી હતું. બબિતા અને ઐયરે જેઠાલાલને ખરીખોટી સંભળાવી દીધી હતી.

જેઠાલાલને પોતાની ભૂલ માટે બબીતાને સોરી બોલવા માટે એક ફુલોનું બુકે પણ લઈને જાય છે. પરતું રોષે ભરાયેલ બબીતા આ બુકે કચરામાં નાખી દે છે. હવે બબિતા અને જેઠા વચ્ચેનો આ ઝઘડો ક્યારે સોલ્વ થશે. ઐયર અને બબિતાના સંબંધો ફરી જેઠા સાથે સરખા થશે કે નહી તે જોવુ રહ્યું.

છેલ્લા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહેલો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ વખતે એવું કંઇક થવા જઇ રહ્યું છે કે તેને જોઇને તમેન હસી હસીને લોટપોટ થઇ જશો. શોમાં જેઠાલાલ અને બબિતાનો એન્ગલ તમને દરેકને ગમતો જ હશે તેમાં આ વખતે જેઠાલાલ બબિતાજીને કહી દે છે આઇ લવ યું. આટલુ કહેતાની સાથે બાપૂજી સાંભળી જાય છે અને પછી જે ધમાલ થાય છે જોઇને તમને મજા આવી જશે

(12:24 am IST)