મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

શુક્રવારે નરેન્દ્રભાઇ દેશની સ્કૂલનાં બાળકો સાથે કરશે પરીક્ષા પર ચર્ચા

સ્કૂલોમાં પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે સ્ટુડન્ટસની માનસિક તાણ ઘટાડવાનો મુદ્ે ફરી સપાટી પર આવ્યો છે. ૧૬ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યાથી વડાપ્રધાન દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમમાં આયોજીત 'પરીક્ષા-એક ઉત્સવ' કાર્યક્રમમાં વિડીયો-કોન્ફરન્સિંગ દ્વારા દેશનાં હજારો બાળકો સાથે પરીક્ષા વિશે સીધો સંવાદ સાધશે. એ વખતે સ્ટેડિયમમાં પણ સ્ટૂડન્ટસ હાજર રહેશે. સ્ટુડન્ટસ પરીક્ષાઓ વિશે વડાપ્રધાનને સવાલો પુછશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મન્થ્લી રેડિયો વાર્તલાપ 'મન કી બાત' માં પરીક્ષા વેળા જરાય માનસિક તણાવ નહીં રાખવાનો અનુરોધ કરતા રહ્યા છે.

(11:48 am IST)