મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

પશ્ચિમ બંગાળના હલ્દિયામાં ભીષણ સડક દુર્ઘટનાઃ ચાર તૃણમુલ નેતાના મોતઃ બે લોકો ગંભીર રીતે ઘાયલ

પશ્ચિમ બંગાળમાં એક ભીષણ સડક દુર્ધટનામાં ચાર લોકોના મોત થયા બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ બધા લોકો કારમાં સવાર થઇ દીધા ફરવા જઇ રહ્યા હતા. આ દરમ્યાન રસ્તામા એક ટ્રકએ એમની કારને સામેથી ટકકર મારી દીધી અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.

બુધવાર મોડી રાત્રે આ દુર્ઘટના તમલૂક થાણા વિસ્તારમાં રામતામા આવેલ ૪૧ નંબર રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયો. કારમા સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બધા પર્યટક હુગલી જિલ્લાના ખાનાકુલના કિશોરપુર ગ્રામ પંચાયતના રહેવાવાળા છે.

મૃત્યુ પામેલ ચારેય લોકો તુણમુલ કોંગ્રેસના સ્થાનિય નેતા બતાવવાાં આવી રહ્યા છે. મરવાવાળાની ઓળખ થઇ છે જેમાં ૩૪ વર્ષીય દીપાંકર ભર, પ૩ વર્ષીય પ્રસેનજીત દિગર, પ૦ વષીય દીલીપ સામંત અને ૩ર વર્ષીય રાજુ પંડિતનો સમાવેશ થાય છે.

(12:00 am IST)