મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

રાજસ્‍થાનના મંત્રીએ ‘ પાનીપત' પર પ્રતિબંધની માંગ કરીઃ કહ્યું તથ્‍યોથી છેડછાડ થઇ છે

રાજસ્‍થાનના પર્યટન મંત્રી વિશ્વેન્‍દ્ર સિંહએ ભરતપુરમા ફિલ્‍મ પાનીપત વિરૂદ્ધ ચાલી રહેલ પ્રદર્શન પછી  કાનૂન-વ્‍યવસ્‍થા બનાવી રાખવા માટે ફિલ્‍મને ઉતર ભારતમાં પ્રતિબંધ કરવા માટેન માંગ કરી છે.

એમણે કહ્યું કે ફિલ્‍મમાં ભરતપુરના શાસક મહારાજા સુરજમલને અનુચિત રીતે રજુ કરવામાં આવ્‍યા છે. વિશ્વેન્‍દ્રસિંહએ કહ્યું કે ફિલ્‍મમાં ઐતિહાસિક તથ્‍યોથી છેડછાડ થઇ છે.

હરિયાણા, રાજસ્‍થાનમાં જાટ સમુદાયના લોકો ફિલ્‍મનો વિરોધ કરી રહ્યા છે. પૂર્વ રાજસ્‍થાનના સી.એમ. વસુંધરા રાજેએ ફિલ્‍મની નિંદા કરી હતી.

(11:35 pm IST)