લત્તા મંગેશકર ૨૮ દિવસ પછી હોસ્પિટલેથી ઘરે આવ્યા...ટ્વિટ કર્યુ-હવે મને સારું છે
સોૈનો હૃદયથી આભારઃ આ સોૈનો પ્રેમ અને આશીર્વાદ વરસતા રહે તેવી આશા
મુંબઇ તા. ૯: બોલીવૂડના સુપ્રસિધ્ધ ગાયિકા લત્તા મંગેશકર લાંબા સમયથી બિમાર હતાં. ૨૮ દિવસની સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા અપાતાં ઘરે પહોંચ્યા છે. તેમને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ કારણે તેમના અસંખ્ય ચાહકોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. જો કે સારવાર બાદ હવે તેઓ સ્વસ્થ છે. તેમણે ઘરે પહોંચી ટ્વિટ કરીને લખ્યું હતું કે-હવે મને સારું છે. મને ન્યુમોનિયા થતાં સારવાર માટે દાખલ થઇ હતી. ડોકટર ઇચ્છતા હતાં કે હું સંપુર્ણ રીતે સ્વસ્થ થઇને પછી જ ઘરે જાવ. આજે હું ઘરે પરત આવી ગઇ છું. ઇશ્વર, બાબાના આશીર્વાદ અને આપ સોૈનો પ્રેમ, પ્રાર્થનાથી હવે હું ઠીક છું. હું સોૈનો હૃદયથી આભાર વ્યકત કરુ છું.
લત્તાજીએ ટ્વિટમાં આગળ લખ્યું છે કે ડોકટર સાચ્ચે જ ભગવાન છે, ત્યાંના કર્મચારીઓ પણ ખુબ સારા છે. આપ સોૈનો પ્રેમ અને આશીર્વાદ આમ જ વરસતા રહે તેવી આશા રાખુ છું. લત્તાજી આ ઉમરે પણ સોશિયલ મિડીયા પર સક્રિય છે.