મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

જાણીતા હાસ્ય અભિનેતા રાજીવ નિગમના જન્મદિવસે જ તેમના પુત્રનું નિધન થયું

કુદરતની વક્રતાએ પરિવાર વિંખાયો : કોમેડિયને પુત્રના મોત પ રફેસબુક પર ભાવિક પોસ્ટ લખી

મુંબઈ, તા. : જાણીતા હાસ્ય અભિનેતા રાજીવ નિગમ પોતાની કોમિક ટાઈમિંગથી દર્શકોને હસાવવા માટે લોકપ્રિય છે. હવે રાજીવ નિમગ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, ખબર છે કે કોમેડિયનના દીકરાનું નિધન થઈ ગયું છે. રાજીન નિગમનો નવેમ્બરે જન્મ દિવસ હતો. તે પોતાના જન્મદિવસ ધામધૂમથી પોતાના દીકરા અને પરિવાર સાથે ઉજવે તે પહેલા જન્મદિવસ પર દીકરો હંમેશા માટે છોડીને જતો રહ્યો. રાજીવ નિગમના દીકરાનું નવેમ્બરે નિધન થઈ ગયું. પોતાના દીકરાના મોતનું દુઃખ રાજીવ સહન નથી કરી શકતા તેમણે ફેસબુક પર દીકરાના મોતની ખબર આપી અને એક ભાવુક પોસ્ટ લખી. જોકે એકાઉન્ટે વેરિફાઈડ નથી. પોસ્ટમાં લખ્યું છે, બર્થડેની કેટલી મોટી સરપ્રાઈઝ મળી. મારો દીકરો દેવરાજ આજે મને છોડીને જતો રહ્યો. બર્થ-ડે કેક કાપ્યા વિના. ગાંડા આવી ગિફ્ટ કોણ આપે? રાજીવ નિગમના પરિવાર સાથે જોડાયેલા એક સૂત્રએ એક વાતચીતમાં વાતને કન્ફર્મ કરી છે અને જણાવ્યું કે, પરિવાર હાલમાં શોકમાં છે. રિપોર્ટ્સ મુજબ, વર્ષ ૨૦૧૮માં રાજીવ નિગમનો દીકરો વેન્ટિલેટર પર હતો. જોકે તેને ત્યારે કયા કારણે વેન્ટિલેટર પર રખાયો હતો, વિશે જાણી શકાયું નહોતું. રિપોર્ટ્સ મુજબ, વર્ષ પહેલા જ્યારે રાજીવ નિગમનો દીકરો રમીને ઘરે પાછો આવ્યો તો તેની તબિયત અચાનક બગડી ગઈ. બાદ તે કોમામાં જતો રહ્યો અને ત્યારથી રાજીવ નિગમની જિંદગી પલટાઈ ગઈ હતી. 'હર શાખ પે ઉલ્લૂ બેઠા હૈ'નું શૂટિંગ ખતમ કરીને પોતાના સફળ કરિયરને પાછળ રાખીને પરિવાર પર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો હતો. રાજીવ પોતાના દીકરાની દેખરેખ કરવા માટે હોમટાઉન પાછા આવ્યા હતા. થોડા સમય પહેલા ઓગસ્ટ ૨૦૨૦માં કાનપુરમાં તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. જણાવી દઈએ કે કોમેડિયને અનુરાધા નિગમ સાથે લગ્ન કર્યા છે.

(9:40 pm IST)