મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

તનિષ્કની ફટાકડાના પ્રતિબંધની તરફદારી કરતી એડથી વિવાદ

ઝવેરાતની કંપનીએ એકત્વમ કલેક્શન લોન્ચ કર્યું : જાહેરાત ટ્રોલ થયા બાદ કંપનીએ ટ્વીટ હટાવી લીધી

મુંબઈ, તા. : દિવાળીની નવી જાહેરાતને કારણે 'તનિષ્કલ્લ ફરીથી સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. એક મહિના પહેલા, અન્ય ધર્મોના લગ્નને પ્રોત્સાહન આપતી એક જાહેરાતને કારણે કંપની આલોચનાનો વિષય બની હતી. હવે કંપનીએ 'એકત્વમલ્લ નામનું એક નવું કલેક્શન લોન્ચ કર્યું છે. કંપની તેની જાહેરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની વકાલાત કરીને ફરી એકવાર વિવાદમાં ઘેરાઇ છે. એડમાં નીના ગુપ્તા, સયાની ગુપ્તા, નિમરત કૌર, અલાયા એફ જોવા મળી રહી છે અને તેઓ દિવાળી પર વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રોલિંગ પછી, તનિષ્કે તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટને હટાવી દીધું છે, પરંતુ વીડિયો અન્ય એક ટ્વિટમાં છે.

'તનિષ્કલ્લ ની નવી એડમાં મહિલાઓ દિવાળી પર તેમની યોજનાઓ વિશે વાત કરી રહી છે. વચ્ચે તે ફટાકડા પર પ્રતિબંધ વિશે વાત કરે છે અને સમજાવે છે કે તહેવાર કેવી રીતે પરિવારની નજીક રહેવાની અને તેમની સાથે સમય વિતાવવા વિશે છે. માટે, ઘણા યૂઝર્સે કંપની પર જાહેરાતો દ્વારા લોકોને 'દિવાળી કેવી રીતે ઉજવવીલ્લ તે અંગે જ્ઞાન આપવાનો આરોપ લગાવ્યો હતો. મોટી સંખ્યામાં એવા યૂઝર્સ છે કે જેઓ ધાર્મિક રૂપે તેમના ગ્રાહકોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.જો કે, અગાઉની જાહેરાતની જેમ 'તનિષ્કલ્લ ને પણ જાહેરાત માટે ટેકો મળી રહ્યો છે. ઘણા યૂઝર્સે કહ્યું કે બેસિપૈરની ટીકા બંધ થવી જોઈએ કારણ કે બ્રાન્ડ ફક્ત એકતાની વાત કરે છે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તે પર્યાવરણ માટે ચિંતા બતાવે છે.

'તનિષ્કેલ્લ ગયા મહિને ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક જાહેરાતમાં આંતર-ધાર્મિક લગ્ન બતાવવામાં આવ્યાં હતાં. તે પછી પણ વિવાદ એટલો વધી ગયો હતો કે કંપનીએ જાહેરાત પાછી ખેંચવી પડી. ત્યારબાદ કંપનીએ કહ્યું કે તે પોતાના સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને પગલું ભરી રહી છે. ઘણા સ્થળોએ સ્ટોર્સ પર લોકોની નારાજગીની ખબર પણ મળી હતી.

(9:40 pm IST)