ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો
ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
અપમાન
''વિનમ્ર બનો, પછી કોઇ તમારૃં અપમાન નહી કરે શકે અહંકાર મુકત બનો, પછી કોઇ તમને દુઃખી નહી કરી શકે''
કયારેક એવું બને છે કે બીજા લોકોને તેનો ગુસ્સો બહાર કાઢવા માટેના બહાના મળી જાય છે. પરંતુ તમારા માટે વિચલીત થવાનું કોઇ કારણ નથી. ફકત બે જ શકયતાઓ છે જો બીજી વ્યકિત સાચો છેતો તમને અપમાન જનક લાગશે અથવા બીજો - વ્યકિત ખોટો છેતો તેના માટે શરમજનક છે. તેવી આખી ઘટના રમુજી છે અનેવ્યકિત તેનો આનંદ લઇ શકે.
જો તમને એવુ લાગે કે બીજો વ્યકિત સાચો છે તો તેણે જે કઇ પણ કહ્યું હોય તેને સ્વીકારો અને વીનમ્ર બનો જો તમે વીનમ્ર બનશો તો કોઇ તમારૃં અપમાન નહી કરી શકે તમે પહેલેથી જ છેલ્લી કતારમાં ઉભા છો તમને તેનાથી દુર ના ધકેલી શકાય તમે પ્રથમ થવા માટે પ્રયત્ન નથી કરી રહ્યા તેથી કોઇ તમારો-વિરોધ નહી કરે આ જ તેઓનો જીવન માટેનો અભીગમ છે વિનમ્ર બનો, પછી કોઇ તમારૂ અપમાન નહી કરી શકે અહંકાર મુકત બનો, પછી કોઇ તમને દુખી નહી કરી શકે.
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧