News of Saturday, 9th November 2019
મહારાષ્ટ્રમાં નદીમાં કુદયા પછી ૪૦ કલાક સુધી પથ્થરો વચ્ચે ફસાઇ રહ્યો વાઘઃ થયું મોત
મહારાષ્ટ્રની એક નદીમાં ૩પ ફૂટની ઉંચાઇથી છલાંગ લગાવ્યા પછી લગભ ૪૦ કલાક સુધી પથ્થરોની વચ્ચે ફસાઇ રહેલા અઢી વર્ષના વાઘનું મોત થયુ છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ વન્યજીવ ઇકાઇ, વનવિભાગ અને થોડા એનજીઓએ સંયુકત બચાવ દળ દ્વારા રેસ્કયુ ઓપરેશન ચલાવ્યુ અને વાઘને બચાવવાની પુરી કોશિષ કરી હતી. રેસ્કયુ દરમ્યાન વાઘના દાંતમા ઇજા થઇ હતી.
(12:00 am IST)