મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ચુકાદો જે પણ આવે એ કોઈની હાર કે જીત નથી: નરેન્દ્રભાઈ મોદી

નિર્ણંય ભારતની શાંતિ,એકતા અને સદભાવનાની મહાન પરંપરાને બળ આપે એ જ આપણી પ્રાથમિકતા

 

નવી દિલ્હી : અયોધ્યા મામલે કાલે સુપ્રીમકોર્ટ ચુકાદો આપી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કર્યું છે કે અયોધ્યા પર સુપ્રીમકોર્ટનો  જે કાઈ પણ ચુકાદો આવે, તે કોઈની હાર જીત નહીં હોય,દેશવાસીઓને મારી અપીલ છે આપણી સૌની પ્રાથમિકતા રહે કે ચુકાદો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને બળ આપે.

(8:40 am IST)