મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ઇરાકી મહિલાની લાળગ્રંથી માંથી દિલ્લીના ડોકટરોએ કાઢી પ૩ પથરી

દિલ્લીમાં આવેલ સર ગંગારામ હોસ્‍પિટલના ડોકટરોએ લગભગ બે કલાકની સર્જરી પછી ૬૬ વર્ષની ઇરાકી મહિલાની લાળગ્રંથી અને લાળવાહિનીમાંથી પ૩ પથરીઓ કાઢી છે.

ડોકટરોએ બતાવ્‍યું કે સીટી સ્‍કેનમાં મહિલાની લાથગ્રંથીમા એક મોટી પથરી દેખાતી હતી પણ એંડોસ્‍કોપીથી ખુલાસો થયો કે તે પથરીઓનો સમૂહ છે.

લાળ ગ્રંથીમાં સૌથી મોટી પથરી ૮ મીલીમીટરની હતી મહિલાને કાંઇપણ ખાવાપીવા દરમ્‍યાન દુઃખાવો થતો હતો.

(12:00 am IST)