News of Saturday, 9th November 2019
કદાચ નિર્ભયા કેસના મુખ્ય આરોપી રામસિંહએ આત્મહત્યા કરી ન હતીઃ તિહાર જેલના પૂર્વ લો ઓફીસરની પ્રતિક્રિયા
તિહાર જેલના પૂર્વ લો ઓફીસર (સેવા નિવૃત) સુનીલ ગુપ્તાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે નિર્ભયા ગેંગરેપના મુખ્ય આરોપી રામસિંહએ કદાચ આત્મહત્યા કરી ન હતી.
એમના જણાવ્યા મુજબ વિસેરા રીપોર્ટમા રામસિંહના શરીરમાં આલ્કોહલ મળવાની વાત હતી. ગુપ્તાએ કહ્યું મને એવું લાગે છે કે તેને શરાબ પીવડાવ્યા પછી (ફાંસી પર) લટકાવી દેવામાં આવ્યો હોય.
(12:00 am IST)