News of Saturday, 9th November 2019
અયોધ્યામાં ત્રણ દિવસ શાળા-કોલેજ બંધ રાખવા આદેશ
કલમ 144 લાગુ કરી દેવાઈ: 30 બૉમ્બ નિરોધક સ્કોડ ખડેપગે: ,78 જેટલા મોટા સ્ટેશન અને ટ્રેનોમાં પણ બંદોબસ્ત વધારી દેવાયો
નવી દિલ્હી : અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટના 5 જજોની બેંચ સવારે 10-30 વાગ્યે ચુકાદો આપનાર છે અયોધ્યામાં શાંતિ જાળવવા અપીલ કરવા સાથે જ કલમ 144 લાગુ કરી દેવાઈ છે સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે 30 બૉમ્બ નિરોધક સ્કોડ ખડેપગે છે
રેલવે કર્મચારીઓ સહીત સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવાઈ છે અને ફરજ પર હજાર થવા ફરમાન કરાયું છે,78 જેટલા મોટા સ્ટેશન અને ટ્રેનોમાં પણ બંદોબસ્ત વધારી દેવાયો છે અયોધ્યામાં 8/11 થી 11/11 સુધી બધી જ શાળા કોલેજો બંધ રાખવા આદેશ કરાયો છે
(8:42 am IST)