News of Saturday, 9th November 2019
અયોધ્યા ઉપર સુપ્રિમકોર્ટનો નિર્ણંય આવી રહયો છે ત્યારે સુનાવણી દરમિયાન સમાજના તમામ વર્ગો તરફથી સદભાવનાનું વાતાવરણ કાયમ રાખવાના પ્રયાસો ખુબ જ બિરદાવવાલાયક છે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ટ્વીટ
નવી દિલ્હી :અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આવનાર છે તેની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કર્યું કે અયોધ્યા પે કાલે સુપ્રીમકોર્ટનો નિર્ણંય આવી રહયો છે,છેલ્લા કેટલાક મહિનાથી સુપ્રીમકોર્ટમાં નિરંતર આ વિષય પર સુનાવણી થઇ રહી હતી,સમગ્ર દેશ ઉત્સુકતાથી જોઈ રહયો હતો,આ દરમિયાન સમાજના તમામ વર્ગો તરફથી સદભાવનાનું વાતાવરણ બનાવી રાખવા માટે કરાયેલ પ્રયાસો બહુ સરાહનીય છે
(8:46 am IST)