મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અયોધ્યા ઉપર સુપ્રિમકોર્ટનો નિર્ણંય આવી રહયો છે ત્યારે સુનાવણી દરમિયાન સમાજના તમામ વર્ગો તરફથી સદભાવનાનું વાતાવરણ કાયમ રાખવાના પ્રયાસો ખુબ જ બિરદાવવાલાયક છે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ટ્વીટ

 

નવી દિલ્હી :અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આવનાર છે તેની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કર્યું કે અયોધ્યા પે કાલે સુપ્રીમકોર્ટનો નિર્ણંય આવી રહયો છે,છેલ્લા કેટલાક મહિનાથી સુપ્રીમકોર્ટમાં નિરંતર વિષય પર સુનાવણી થઇ રહી હતી,સમગ્ર દેશ ઉત્સુકતાથી જોઈ રહયો હતો, દરમિયાન સમાજના તમામ વર્ગો  તરફથી સદભાવનાનું વાતાવરણ બનાવી રાખવા માટે કરાયેલ પ્રયાસો બહુ સરાહનીય છે

(8:46 am IST)