ઉદ્ધવજી અને ફડણવીસની પત્રકાર પરિષદના મહત્વના અંશો
દેવેન્દ્ર ફડણવીસ કહ્યું કે તમે ક્યારેય બાલાસાહેબ વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી. ઉદ્ધવજી કહ્યું કે તમામ વિકલ્પો ખુલ્લા છે, તેમનું આ નિવેદન અમારા માટે આઘાતજનક છે. શિવસેના સાથે 50-50 ટકા ભાગીદારી ની કોઈ ડીલ થયેલ નથી. તમારા સાથીદાર(શિવસેના) ભાજપ અને વડાપ્રધાન મોદીની ટીકા કરી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મેં બાળા સાહેબને વચન આપ્યું હતું કે એક દિવસ શિવ સૈનિક મુખ્યમંત્રી બનશે અને હું તે વચન પૂરું કરીને રહીશ, તે માટે મારે અમિત શાહ કે દેવેન્દ્ર ફડણવીસની કોઈ જરૂર નથી. કેરટેકર મુખ્યમંત્રીની પત્રકાર પરિષદ કોઈને ખેડ થાય છે,છેલ્લા પાંચ વર્ષમાં અમે વિકાસની આગળ રાજકારણ ક્યારેય આવવા દીધું નથી,અમે ભાજપને ક્લિયર કહી દીધું છે કે શિવસેના નાયબ મુખ્યમંત્રીના પદ માટે લડતું નથી