મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

નોટબંધીને ૩ વર્ષ : રાજકીય દુનિયામાં મુદ્દો હજુય જીવિત

કોંગ્રેસ સહિતના પક્ષો ચુંટણીમાં મુદ્દાને ઉઠાવે છે : લોકો અને રાજકીય પક્ષોના વિવિધ પ્રકારના અભિપ્રાયો લોકોમાં પણ લાંબી લાઇનમાં ઉભા રહેવાની બાબત તાજી

નવી દિલ્હી,તા. ૮: નોટબંધીને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેની અસર હવે દેખાઇ રહી નથી. જો કે ઉદ્યોગ અને કારોબારમાં રિક્વરી હજુ પણ થઇ રહી છે. સામાન્ય લોકોના દિલોદિમાગ પર હવે તેની અસર ઓછી રહી છે. પરંતુ રાજનેતાઓ આ મુદ્દાને વારંવાર ઉઠાવીને રાજકીય દાવપેચ કરતા રહે છે. લોકસભાની ચૂંટણીમાં જ નહીં બલ્કે હાલમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ નોટબંધીનો ઉપયોગ ભાજપની સામે કરવામાં આવ્યો હતો. ભાજપ પર આ મુદ્દે પ્રહારો કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાને યુપીની કમાન સોંપવામાં આવી હતી. પ્રચાર દરમિયાન પ્રિયંકાએ નોટબંધીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. નોટબંધી અને જીએસટી પર ચૂંટણી લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. તમામ લોકોને યાદ છે. આઠમી નવેમ્બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરીને દેશના લોકોને ચોંકાવી દીધા હતા. જેથી દેશમાં ભૂકંપ જેવી સ્થિતી સસર્જાઇ ગઇ હતી. જેના કારણે એટીએમ પર લાંબી લાઇનો મહિનાઓ સુધી જોવા મળી હતી.

એકબાજુ શાસક પક્ષે આને દેશહિતમાં નિર્ણય ગણાવ્યો હતો. જ્યારે વિપક્ષે આની ટિકા કરી હતી. નોટબંધીના કારણે દેશમાં કાળા નાણાં બેંકોમાં પરત ફર્યા છે. સરકારની પાસે આજે તેમની માલિકીના નામ, સરનામા અને ચહેરા આવી ચુક્યા છે. ૨૩ લાખ બેંક ખાતામાં જમા કરવામાં આવેલી ૩.૬૮ લાખ કરોડની રકમ તપાસના ઘેરામાં છે. નોટબંધીના કારણે ત્રાસવાદ અને નક્સલવાદ પર પ્રહાર કરાયા હતા. તેમની કમર તુટી ગઇ છે. કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટના રોકાઇ ગઇ છે.  નક્સલી ઘટનામાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. બનાવટી નોટ અને ડ્રગ્સના કારોબારની કમર તુટી ગઇ છે.

સેલ કંપનીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને વિડિયોમાં સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ગણાવીને તેની પ્રશંસા કરવામાં આવી છે. આના મારફતે ૨.૨૪ લાખ શેલ કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે જો નોટબંધી કરવામાં  ન આવી હોત તો આજે ૧૮ લાખ કરોડની હાઇ વેલ્યુ કરેન્સી રહી હોત.સરકારે બેનામી સંપત્તિને લઇને પણ મોટી કાર્યવાહી કરી છે. ટેક્સ ચુકવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ઓનલાઇન રિટર્ન ભરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. લેસકેશ ઇકોનોમીમાં તેજી આવી છે. ડિજિટલ ટ્રાન્જેક્શનના આંકડામાં ઉલ્લેખનીય વધારો થયો છે. વિપક્ષના આરોપોને ફગાવી દઇને કહેવામાં આવ્યુ છે કે નોટબંધીના કારણે ગરીબોને તેમના હક મળી ગયા છે. પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. લોનના હપ્તા સસ્તા થઇ ગયા છે.

નોટબંધીના ફાયદા...

ત્રણ વર્ષ પૂર્ણ થતા મૂલ્યાંકન

નવીદિલ્હી, તા. ૮: નોટબંધીને આજે ત્રણ વર્ષનો ગાળો પૂર્ણ થયા બાદ આને લઇને ફાયદા નુકસાનની ગણતરી આર્થિક નિષ્ણાતો કરી રહ્યા છે. નોટબંધીના કારણે જે ફાયદા થયા છે તે નીચે મુજબ છે.

*   નોટબંધીના કારણે ત્રાસવાદ અને નક્સલવાદ પર પ્રહાર કરાયો છે. તેમની કમર તુટી ગઇ છે

*   કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટના પર સંપૂર્ણ પણે બ્રેક મુકાઇે

*   નક્સલી ઘટનામાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે

*   સેલ કંપનીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને વિડિયોમાં સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ગણાવીને તેની પ્રશંસા કરવામાં આવી છે

*   નોટબંધી કરવામાં  ન આવી હોત તો આજે ૧૮ લાખ કરોડની હાઇ વેલ્યુ કરેન્સી રહી હોત

*   આના મારફતે ૨.૨૪ લાખ શેલ કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે

*   ટેક્સ ચુકવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ઓનલાઇન રિટર્ન ભરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે

*   લેસકેશ ઇકોનોમીમાં તેજી આવી છે. ડિજિટલ ટ્રાન્જેક્શનના આંકડામાં ઉલ્લેખનીય વધારો થયો છે

*   નોટબંધીના કારણે ગરીબોને તેમના હક મળી ગયા છે.

*   લોનના હપ્તા સસ્તા થઇ ગયા છે. જે પૈસા તિજોરીમાં પડી રહેતા હતા તે હવે લોકોના કામમાં આવી રહ્યા છે

*   નોટબંધીના કારણે ગરીબોને તેમના હક મળી ગયા છે

*   ડિજિટલ લેવડદેવડમાં ઉલ્લેખનીય વધારો થયો છે

નોટબંધીથી નુકશાન..

દેશમાં નકલી નોટ પકડાયા નથી

નવીદિલ્હી, તા. ૮: નોટબંધીના કારણે નુકસાન પણ થયું છે. નોટબંધીથી નુકસાન નીચે મુજબ છે.

*   નકલી  નોટને પકડી પાડવામાં સફળતા હાથ લાગી નથી

*   રિપોર્ટ મુજબ ૧૦૦૦ રૂપિયાની જેટલી નોટ બંધ કરવામાં આવી હતી તે પૈકીની તમામ નોટ પરત આવી ગઇ છે

*   પરત આવેલી નોટ પૈકીની ૦.૦૦૦૭ ટકા નોટ બનાવટી સાબિત

*   કાળા નાણાંને લઇને હજુ સુધી સસ્પેન્સની સ્થિતી અકબંધ રહી

*   જીડીપી વદ્ધિ દરમાં નોધપાત્ર ઘટાડો થયો છે

*   નોટબંધીના કારણે  લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી અને ઉદ્યોગો અને નાના કારોબારીઓને ભારે નુકસાન થયુ હતુ

*   નોટબંધીના કારણે લેવડદેવડ વધારે મુશ્કેલ બની

*   રોકડ રકમની બોલબાલા ઓછી થઇ નથી

*   પીઓએસ સુવિધાની મોટા પાયે કમી જોવા મળી રહી છે

*   ઝડપથી સુરક્ષિત વ્યવસ્થા ઉભી થઇ શકી નથી

*   એમ વોલેટનો મોટા પાયે વ્યાપક ઉપયોગ થઇ રહ્યો નથી

*   મોંઘવારીમાં વધારો થઇ ગયો છે. રોજગારીમાં જોરદાર ઘટાડો થયો  છે

*   આયાતમાં ૨૩ ટકાનો વધારો થયો છે. વિદેશી નાણાં ભંડોળમાં પણ જોરદાર ઘટાડો થયો છે.

*   બેંકોની ક્રેડિટ ગ્રોથમાં ૧૧.૭ ટકાથી ઘટીને તે આંકડો ૫.૧ ટકા

*   નોટબંધીની અસર નકારાત્મક વધારે અને હકારાત્મક ઓછી થયા હોવાનો દાવો થાય છે

(3:25 pm IST)