મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

25મીએ રામમંદિર નિર્માણ માટે VHP દ્વારા અયોધ્યા, મુંબઈ અને બેંગલુરૂમાં મોટી રેલી

નવી દિલ્હી ;આગામી ૨૫મી નવેમ્બરે અયોધ્યા, મુંબઈ અને બેંગલુરૂમાં VHP મોટી રેલી કરવાની તૈયારીમાં છે. રામમંદિર નિર્માણ માટે. ૨૫મી નવેમ્બરે ઉત્તર ભારતમાં અયોધ્યા, મધ્યમાં મુંબઈ અને દક્ષિણ ભારતમાં બેંગલુરૂમાં કેન્દ્ર બનાવીને રેલી કરવામાં આવશે.

  દિલ્હીમાં યોજાયેલી સંતોની ઉચ્ચધિકાર સમિતિની બેઠકમાં દેશભરમાં આવી રેલીઓ કરવાનો પ્રસ્તાવ પાસ થયો હતો. વીએચપીના મહામંત્રી સુરેન્દ્ર જૈન પ્રમાણે આ રેલીઓમાં ૫ થી ૧૦ લાખ સંત અને રામ મંદિર સમર્થકો ભેગા થશે.

VHP રેલીના માધ્યમથી સરકાર પર દબાવ વધારવાની રણનીતિ મુજબ 9 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશવ્યાપી રેલી કરશે. આ રેલી સંસદના શઇયાળુ સત્ર પહેલા દિલ્લીના રામલીલા મેદાનમાં આયોજીત કરવામાં આવશે.

  VHP ના પિતૃ સંગઠન RSS તરફથી રામમંદિર નિર્માણ માટે કાયદો કે અધ્યાદેશ લાવવાની સલાહ આપવામાં આવી રહી છે. મુંબઈમાં થયેલી આરએસએસની દિવાળી બેઠક દરમિયાન RSSના સરકરવાહ ભૈયાજી જોશીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા કાયદાનો માર્ગ અપનાવવાની વાત કરી હતી.

(3:37 pm IST)