News of Tuesday, 9th October 2018
બીએસપી બેઠકો માટે કોંગ્રેસ પાસે ભીખ માંગશે નહીં :માત્ર સન્માનજનક સીટ આપવાની શરત :માયાવતી
ફોટો BSP
લખનઉ: બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી કોંગ્રેસ સામે નારાજગી દેખાડતા પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બીએસપી સીટો માટે કોંગ્રેસની સામે ભીખ માંગશ નહીં.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધનના સવાલ પર માયાવતીએ કહ્યું હતું કે અમે માત્ર સન્માનજનક સીટ આપવાની શરત રાખી હતી, પરંતુ તેમણે તે પણ સ્વીકાર નથી.
માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગઠબંધન ન થવા પર બીએસપી એકલા ચૂંટણીમાં ભાગ લેવા તૈયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં માયાવાતી પહેલા જ કોંગ્રેસથી અલગ જઇ અદિત જોગીની પાર્ટીની સાથે ગઠબંધન કર્યું છે.
(1:07 pm IST)