મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

સેનાએ દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરતાં કેરળના તમામ જિલ્લાઓમાં એલર્ટ

વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સેનાએ સરક્રીક વિસ્તારમાં પગલાં લીધાં

 

નવી દિલ્હી : સેનાની દક્ષિણી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનીએ કહ્યું છે કે તેમને એવી માહિતી મળી છે કે દેશમાં કોઈ આતંકી હુમલો થઈ શકે છે. તેમણે કહ્યું, 'અમને માહિતી મળી છે કે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. ગુજરાતમાં સર ક્રીક પાસેથી કેટલીક બોટો મળી આવી છે. અમે આતંકવાદી અને એન્ટિ-એલિમેન્ટ્સના દરેક ઇરાદાને નિષ્ફળ બનાવવા સાવચેતી રાખી રહ્યા છીએ.'લેફ્ટનન્ટ જનરલ સૈનીએ કહ્યું કે વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સેનાએ સરક્રીક વિસ્તારમાં પગલાં લીધાં છે

   દરમિયાન કેરળના પોલીસ મહાનિદેશક (ડીજીપી) લોકનાથ બેહેરાએ કેસમાં જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, 'સૈન્ય દ્વારા અપાયેલી આતંકવાદી હુમલાની ચેતવણીને કારણે રાજ્યના તમામ જિલ્લાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં પોલીસને જાહેર સ્થળો પર સજાગતા રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

(12:07 am IST)