મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ તરફ જશે તો ઝીરો થઈ જશે: આપણી જવાબદારી ધર્મનિરપેક્ષતાની રક્ષા કરવાની : શશી થરૂર

ભાજપની સફળતાથી અંજાયા વગર કોંગ્રેસે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવુ પડશે.

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે જણાવ્યુ કે, કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ તરફ જશે તો ઝીરો થઈ જશે. જેથી આપણી જવાબદારી ધર્મનિરપેક્ષતાની રક્ષા કરવાની છે. તેમણે દાવો કર્યો કે, ભાજપના શાસક અને તેના સહયોગીઓ દ્વારા હિંદુ હોવાનો કરવામાં આવતો દાવો બ્રિટિશ ફૂટબોલના સમર્થકોની ટીમ પ્રત્યે વફાદારીથી અલગ નથી. તેમણે કહ્યુ કે, ભાજપ હિંદુત્વને વિકૃત કરી રહી છે.

સત્તામાં બેઠેલા જે લોકો હિંદુત્વનો પ્રચાર કરી રહ્યા છે. તે ખરેખર હિંદુત્વ નથી. ભાજપ દ્વારા કરવામાં આવતા બહુસંખ્યકનુ તૃષ્ટીકરણ દેશ માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. થરૂરે કહ્યુ કે, ભાજપની સફળતાથી અંજાયા વગર કોંગ્રેસે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવુ પડશે.

(12:35 pm IST)